આપણાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિતે એમના જીવનચરિત્ર પર આધારિત એક વિશેષ પ્રદર્શનીનું ઉદઘાટન માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલ ઉપસ્થિત રહ્યા અને પ્રદર્શનીનું અવલોકન કરીને વાજપેયીજીના જીવનચરિત્રમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી. તેમણે જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીજીનું જીવન જનપ્રતિનિધિઓ માટે માર્ગદર્શક છે અને તેમની વિચારધારા આજે પણ દેશસેવામાં પ્રેરણા આપે છે.
કાર્યક્રમમાં વિવિધ આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શની દ્વારા નવી પેઢીને વાજપેયીજીના રાજકીય યોગદાન અને દેશપ્રત્યેના સમર્પણથી પરિચિત કરવાનું કાર્ય કરવામાં આવ્યું.
