વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત "સેવા પખવાડિયા" અંતર્ગત વિશેષ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલે સક્રિય હાજરી આપી.
સુરત કિલ્લા નજીક આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી મોદીના પ્રેરણાદાયક જીવનપ્રસંગોને ઉજાગર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં લિટલ મિલેનિયમ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન દ્વારા મોદીજીના જીવનમાંથી પ્રેરણા મેળવવાનો અવસર મળ્યો છે અને જનસેવા માટે નવા સંકલ્પ લેવાનો મોકો પણ પ્રાપ્ત થયો છે
