પૂર્વ કેન્દ્ર મંત્રી દર્શના જર્દોશ હાજર રહી તાજ વિવંતાના નવા પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં, સુરત એરપોર્ટ સામે ઊભરશે નવું લેન્ડમાર્ક

પૂર્વ કેન્દ્ર મંત્રી દર્શના જર્દોશ હાજર રહી તાજ વિવંતાના નવા પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં, સુરત એરપોર્ટ સામે ઊભરશે નવું લેન્ડમાર્ક

na

પૂર્વ કેન્દ્ર મંત્રી દર્શના ઝરદોષ સોમવારના રોજ સુરત એરપોર્ટની સામે વિકસાવાનારા તાજ વિવંતાના નવા પ્રોજેક્ટના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ હૃદાન હૉસ્પિટાલિટી દ્વારા દશરથ દેસાઈ, કેદાર જગીરદાર, હિતેશ દેસાઈ અને રિતેશ દેસાઈ સાથે મળીને વિકસાવવામાં આવી રહ્યો છે।

આ ભૂમિપૂજન સાથે પ્રોજેક્ટના નિર્માણની સત્તાવાર શરૂઆત થઈ છે, જે સુરતમાં લક્ઝરી હૉસ્પિટાલિટી અને પ્રવાસની સુવિધાઓને નવા ધોરણ પર લઈ જવાની શક્યતા ધરાવે છે. તાજ વિવંતાનો આ પ્રોજેક્ટ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

દર્શના ઝરદોશે પ્રોજેક્ટ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ સુરતના વ્યાપારિક અને પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. તેમણે ટીમના દૂરંદેશી વિઝનને વખાણી અને શહેરના વિકાસ માટે શુભેચ્છાઓ આપી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart