ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી નિતિન નબીનજી સાથે નવી દિલ્હીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દર્શનાબેન જરદોશે આત્મીય મુલાકાત કરી અને તેમના નવા દાયિત્વ માટે હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી.
આ પ્રસંગે દર્શનાબેન જરદોશે જણાવ્યું કે પાર્ટીએ નિતિન નબીનજીને સોંપેલી આ મહત્વપૂર્ણ જવાબદારી તેમની ક્ષમતા અને અનુભવનું પ્રતિબિંબ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નિતિન નબીનજીનો સમૃદ્ધ સંગઠનાત્મક અનુભવ, દૂરદર્શી નેતૃત્વ, સ્પષ્ટ વિચારધારા અને જમીની સ્તરે મજબૂત પકડ પાર્ટીને નવી ઊર્જા, મજબૂત દિશા અને વધુ સંગઠનાત્મક શક્તિ આપશે.
તેમણે ઉમેર્યું કે નિતિન નબીનજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી લોકો સાથે વધુ મજબૂત રીતે જોડાઈને આગળ વધશે અને રાષ્ટ્રીય સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવશે.
