આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી સુરત કાર્યાલય ખાતે ઉત્સાહભેર યોજાઈ. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિ રહી.
કાર્યક્રમ દરમિયાન AAP સુરતના નેતા અશોક ગોહિલ, પાર્ટીના કાર્યકર્તાઓ અને નગરસેવકોની હાજરીમાં દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું અને મિઠાઈ વહેંચીને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી.
